-
ભવ્ય કામ થાય, મોક્ષનું કામ થાય.”
તા. 13-12-2017, સારંગપુર આજે સ્વામિનારાયણ મહામંત્રને 216 વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. તેથી પૂજા બાદ સ્વામીશ્રીએ આશિષ વરસાવતાં કહ્યું : “એક શિષ્ય રાજી થઈને ગુરુને કહે : ‘મેં એક વ્યક્તિને રામ નામ લેવાનું કહ્યું ને તેના સંકલ્પ પૂરા થઈ ગયા.’ તો ગુરુએ અકળાઈને કહ્યું : ‘उल्लू के बच्चे, राम नाम भवजल तैरने के लिए है, ऐसे कार्य के लिए नहीं है।’ આપણે આવી શ્રદ્ધા ધરાઈએ. હૃદયના ઊંડાણમાં, ઊંડાણથી ભજન કરવું. એક વાર નામ લેવાથી મોક્ષ થઈ જાય એવું છે. સ્વામિનારાયણ નામથી શું ન થાય ? શ્રદ્ધા હોય તો અખંડ જાપ થયા જ કરે, કહેવું જ ન પડે. જેમ બેંકમાં પૈસા પડ્યા હોય તો નવરો પડે ને ગણતરી કર્યા કરે, અખંડ ચિંતવન થાય; તેમ સ્વામિનારાયણ નામનો મહિમા હોય તો અખંડ જાપ થયા કરે. એક ઉંદર ચૂલા આગળ કૂદતો’તો - ત્રણ ફૂટ ખોદ્યું તો 8 રૂપિયા નીકળ્યા. 8 રૂપિયાનો આટલો કેફ ! આપણને 5 રૂપિયા જેટલોય વિશ્વાસ નથી. વિશ્વાસ હોય તો ભવ્ય કામ થાય, મોક્ષનું કામ થાય.”
-
સ્વામી ! વગર ટાઇમરે આપ એક્ઝેક્ટ બોલ્યા !
તા. 10-12-2017, ધોળકા આજે સ્વામીશ્રી સભામંડપમાં ભૂમિભ્રમણ કરીને પરત પધારતાં લિફ્ટમાં કહે : ‘રોજ સવા મિનિટમાં એક રાઉન્ડ પૂરો થાય છે. આજે દોઢ મિનિટ થઈ.’ શ્રુતિપ્રિયદાસ સ્વામી આશ્ચર્યથી કહે : ‘સ્વામી ! વગર ટાઇમરે આપ એક્ઝેક્ટ બોલ્યા ! અને પાછું આપ કેટલું બધું એક સાથે કરતા હો છો ! - સભામંડપમાં પધરાવેલી મૂર્તિઓનાં દર્શન કરતા જાઓ છો, સંતોની આંખોમાં આંખો મેળવી ‘દિવ્ય છે... દિવ્ય છે...’ એમ બોલતા જાઓ છો અને આજુબાજુનું નિરીક્ષણ તો ખરું જ ! એની સાથે આપે ચોક્કસ સમય પણ માપી લીધો.’ સ્વામીશ્રી હસીને કહે : ‘ઘણું બધું માપ્યા વગર પણ ખબર પડી જાય છે.’
-
આત્મહત્યા કરતાં અટકાવી દીધાં હતાં !”
તા. 9-12-2017, ધોળકા આજે અમદાવાદના એક હરિભક્ત મુલાકાતે આવ્યા હતા. તેમની કથની આ પ્રમાણે હતી : “ગયા ગુરુવારે તારીખ 30-11-2017ના રોજ તેમનાં પત્ની અચાનક ખોવાઈ ગયાં. ઘણી મહેનત કરી પણ મળ્યાં નહીં. બધાંનાં પેટમાં ફાળ પડી, ‘શું થયું હશે ?’ છેવટે તેમણે સ્વામીશ્રીને ફોન જોડ્યો. સ્વામીશ્રીએ કહ્યું - ‘ભાળ મળી જશે. પરત આવી જશે.’ જેવો સ્વામીશ્રીનો ફોન મુકાયો કે તરત એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે ‘તમારાં પત્ની અહીં રિવરફ્રન્ટ પર છે. આત્મહત્યા કરવા જતાં હતાં, પણ ‘મહંત સ્વામી, મહંત સ્વામી, કરતાં બેસી ગયાં છે ને રડે છે. તમે તાત્કાલિક આવીને લઈ જાવ.’ તે લઈ આવ્યા. પણ થયું શું હતું ? તો જેવા સ્વામીશ્રીએ અહીં આશીર્વાદ આપ્યા ને તરત રિવરફ્રન્ટમાં પડવા જતાં બહેનને મહંત સ્વામી મહારાજની સ્મૃતિ થઈ આવી અને એ સ્મૃતિએ તેમને આત્મહત્યા કરતાં અટકાવી દીધાં હતાં !” ગુરુહરિ ઐશ્વર્ય વાપરીને, પ્રવેશ કરીને પણ કેવી રક્ષા કરે છે, તેનો આ એક નમૂનો હતો.
-
ઐશ્વર્ય ઢાંકી કેવી રીતે શકો ?’
તા. 8-12-2017, ધોળકા સ્વામીની વાતોની ઍપ(App) માટેની ગોષ્ઠિમાં સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘સત્પુરુષની પરંપરા પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ ને આપ ચારેય પ્રગટ હતા. શ્રીજીમહારાજનો વાસ તો દરેકમાં સરખો છે. જેટલા શાસ્ત્રીજી મહારાજમાં તેટલો જ આપમાં, તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં યોગીજી મહારાજને કે આપને ખબર ન હોય કે ‘હું અક્ષરબ્રહ્મ છું ને મારામાં મહારાજ અખંડ રહ્યા છે,’ એવું તો બને નહીં ! તો પછી આપ પોતાનું સ્વરૂપ આટલું છુપાવી કેવી રીતે શક્યા ?’ સ્વામીશ્રી તરત જ કહે : ‘ચાર મર્સીડીઝ ગાડી હોય, ત્રણ યુઝ(વપરાશ)માં ન હોય ને એક યુઝમાં હોય એવી રીતે.’ ‘પણ આટલું બધું સામર્થ્ય - ઐશ્વર્ય ઢાંકી કેવી રીતે શકો ?’ ‘એ કહેવાનું ન હોય, નહીંતર કલ્યાણ કરવાનો માસ્ટર પ્લાન(યોજના) બગડી જાય.’ સ્વામીશ્રીએ કહ્યું.
-
મહંતજી ! તમારું સકલ દિવ્ય દિવ્યમ્...’
તા. 8-12-2017, ધોળકા આજે શીલભૂષણદાસ સ્વામીએ સ્વામીશ્રીની કૃપાની વાત કરતાં કહ્યું : “મને ઢીંચણનો દુઃખાવો રહેતો. ડૉક્ટરે તો કહી દીધું હતું કે ‘ગાદીનો ઘસારો શરૂ થઈ ગયો છે, પલાંઠી વાળીને બેસતા નહીં, ઊભડક બેસતા નહીં, ધ્યાન રાખજો.’ પણ ગત વર્ષે સ્વામીશ્રીએ એક પછી એક ત્રણ વાર હાથ ફેરવ્યો ને એટલું સારું થઈ ગયું કે ‘હમણાં જ થયેલી ચારધામ યાત્રામાં હું બધે જ ચઢી શક્યો !” મુનિચિંતનદાસ સ્વામીએ સંતોની ભાવના રજૂ કરતાં પૂછ્યું : ‘આપ હાથ ફેરવો ને અમારા દુઃખાવા મટી જાય છે, તો આપના હાથ ફેરવવાથી આપની તકલીફો, રોગો દૂર થાય કે નહીં ?’ સ્વામીશ્રી કહે : ‘દિવ્ય છે.’ (અર્થાત્ રોગોય દિવ્ય છે !) સૌ હસી પડ્યા. ‘મહંતજી ! તમારું સકલ દિવ્ય દિવ્યમ્...’
-
સહેજ પણ ફેર પડે તો તાણ ન રહે
તા. 7-12-2017, ધોળકા સાંજે સ્વામીની વાતોની ઍપ(App)ની ગોષ્ઠિમાં 6/251મી વાતના સંદર્ભમાં સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘હાર પહેરાવે, વખાણ કરે... એ રાજીપો ખોટો નથી... બરાબર ને ?’ સ્વામીશ્રી : ‘એને આગળ લઈ જવા માટે. મોક્ષ કરવો છે. એને બીજી ચોપડીમાંથી પાંચમી ચોપડીમાં લઈ જવો છે. બધો રાજીપો કામનો છે. લેવલ જુદાં છે. એક 10ના આંકડા પર ઊભો હોય અને બીજો 25 પર ઊભો છે. 10 થી 25માં જાય એટલે રાજીપો દેખાય સરખો, પણ 10 પર હોય ને 50 પર હોય તેનો રાજીપો જુદો છે - રાજીપો ખોટો નથી, દંભ નથી, સાચો જ છે. પણ કક્ષા પ્રમાણે એને રાજીપાનું ફળ મળે.’ પ્રશ્ન : “પ્રેમાનંદ સ્વામીએ કીર્તનો બનાવ્યાં અને મહારાજને કહ્યું : ‘આ મૂર્તિ અંતરમાં અખંડ રહે.’ ત્યારે મહારાજે કહ્યું : ‘એનાં સાધનો જુદાં !’ તો એ સાધનો કયાં ?” સ્વામીશ્રી : ‘આત્મારૂપ. ત્યાંથી શરૂ થાય. બીજા બધાં (સાધનો) દેહભાવનાં, બહુ ટકે નહીં. આત્મારૂપ વર્તે તો પાછો પડે નહીં. આગળ ને આગળ વધે. દેહરૂપ ને આત્મારૂપમાં બહુ તફાવત છે. ઓલ્યો (દેહભાવવાળો) ગમે તેવો દેખાય; આપણને બધાને લાગે કે આના પર બહુ રાજી. અને આત્મારૂપ વર્તતો હોય તો દેખાય નહીં...’ પ્રશ્ન : ‘આત્મારૂપ સમજવાથી રાજીપાની શરૂઆત થાય તો પછી રાજીપો આગળ ક્યાં અટકે છે ?’ સ્વામીશ્રી : ‘સાધનો એ જ કરવાનાં, પણ આત્મારૂપે જ !’ પ્રશ્ન : ‘રાજીપો ન બતાવો, તો પણ રાજી છો, તે કેવી રીતે ખબર પડે ?’ સ્વામીશ્રી : ‘તમને અનુભવ થાય. રીતસર, કે સ્વામી મારી પાસે જ છે. મારી ભેગા જ છે.’ પ્રશ્ન : ‘સાક્ષાત્કાર થાય તોપણ પ્રત્યક્ષની તાણ રહેવી જોઈએ, બરાબર ને ?!’ સ્વામીશ્રી : ‘પ્રત્યક્ષ ને પરોક્ષ એક જ મનાય તો થાય. તેમાં સહેજ પણ ફેર પડે તો તાણ ન રહે.’ ઉપસ્થિત સંતોને અનુભૂતિ થઈ કે આજે પુનઃ એ જ ગુણાતીતાનંદ સ્વામી પોતે કરેલી વાતોને વધુ ઊંડાણ આપી રહ્યા છે.
-
‘બધું આપના હાથમાં છે.’
તા. 6-12-2017, ધોળકા સ્વામીશ્રીના ભોજન પછી સેવક સંતે એક રસપ્રદ પ્રસંગ કહ્યો : “ભાવનગરથી વકીલ બાપુનો ફોન આવ્યો કે ‘સ્વામી ! જો અત્યારે વરસાદ પડશે તો ખેડૂતોએ વાવેલા કપાસને ખૂબ નુકસાન થશે, આશીર્વાદ આપો કે એવું ન થાય.’ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. વકીલ બાપુને પ્રમુખસ્વામી મહારાજના વખતથી આવા ઘણા અનુભવ... તેથી પૂર્ણ વિશ્વાસ હતો. તે જ રણકતા વિશ્વાસથી તેમણે તેમના સુરતના એક મિત્રને આ વાત કરી હતી કે ‘મારા ગુરુએ આશીર્વાદ આપ્યા છે. ‘ઓખી’ ચક્રવાત હવે દરિયામાં સમાઈ જશે ને ગુજરાતમાં બહુ નુકસાન થશે નહીં.’ પેલા ગુણભાવી મિત્રને તો આ વાત સહેજે મનાઈ નહીં. વકીલ બાપુ કહે : ‘કાલે જોઈએ.’ બીજે દિવસે સવારે પેલા મિત્ર તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. હવામાન ખાતાની પૂરી આગાહી હતી કે ‘આ ભયંકર ચક્રવાત છે ને ત્રાટકવાનું જ છે.’ પણ તેણે માર્ગ બદલી દીધો હતો ને ખરેખર દરિયામાં સમાઈ ગયું હતું ! તેમણે વકીલ બાપુ આગળ કાનની બૂટ પકડી, મનોમન સ્વામીશ્રીનાં ચરણોમાં નમન કર્યાં.” સ્વામીશ્રીએ અત્યારે હસતાં હસતાં, હાથની એક્શન કરીને બતાવ્યું : ‘એક માઇલ ચાલીને આમ (કાટખૂણે) વળી ગયું.’ ‘સમરથ શું ન કરે ! પ્રભુ પલમાં ચાહે સો કરે !’ એ જ ભાવથી નીલકંઠજીવનદાસ સ્વામી કહે : ‘બધું આપના હાથમાં છે.’ સ્વામીશ્રીની દાસત્વભક્તિ તરત બોલી ઊઠી : ‘ભગવાનના હાથમાં છે.’
-
‘શ્રીહરિ એક જ કર્તા-હર્તા...’
તા. 6-12-2017, જયપુરથી અમદાવાદ વિમાનમાં જતાં હિતેષભાઈએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : આપે કહ્યું હતું - ‘જુદાં જુદાં બ્રહ્માંડોમાં બધા આવા જ ભક્તો છે ને ધંધા-પાણી છે, તો ત્યાં આપનું પણ આવું જ શરીર છે ? ધારો કે અમે આત્મારૂપે થઈને ત્યાં જઈએ તો આપને ઓળખી શકીએ ?’ સ્વામીશ્રી કહે : ‘હા, પણ જે બ્રહ્માંડમાં આપણે જન્મ્યા છીએ તે જ બરાબર. મહારાજે પરચો ઇચ્છવાની ના પાડી. આ જે સ્વરૂપો આપણને મળ્યાં છે તેમાં જ લીન થવું જોઈએ. બીજી ઇચ્છા રાખવી નહીં.’ બીજો પ્રશ્ન હિતેષભાઈએ પૂછ્યો : ‘પણ દરેક બ્રહ્માંડમાં ઉપાસના તો આ જ હશે ને ? - અક્ષર-પુરુષોત્તમની ?’ સ્વામીશ્રી કહે : “હા, પણ મહારાજ પધારે ત્યારે... વૈરાટ બ્રહ્માએ તેનાં 50 વર્ષ તપ કર્યું ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા. એવી રીતે દરેક બ્રહ્માંડમાં એક જ વાર જાય... એટલે આપણે ભાગ્યશાળી છીએ. બીજા આગે થઈ ગયા એને લાભ નહીં. આ બધા સામાન્ય દેખાય ને, એટલે મહિમા સમજાતો નથી. મહારાજે કહ્યું : ‘અમે તમારી સામર્થી ઢાંકી રાખી છે, નહીં તો બધા ભગવાન થઈ જાય.” હિતેષભાઈએ કહ્યું : ‘આમ જોવા જઈએ તો ગુણાતીત સત્પુરુષની જવાબદારી બહુ, આ બ્રહ્માંડની આટલી બધી જવાબદારી ને બીજા બ્રહ્માંડની બીજી જવાબદારી.’ સ્વામીશ્રી હસી પડતાં કહે : ‘અનંત સ્વરૂપ હોય ને ! બધાં એક-એક સ્વરૂપ એક-એક બ્રહ્માંડમાં ગોઠવાઈ જાય.’ હિતેષભાઈએ પૂછ્યું : ‘અમે તો થોડો વહેવાર ચલાવીએ એમાં થાકી જઈએ, તો આપ તો અનંત સંચાલન કરો... એમાં જરાય થાક ન લાગે ?’ સ્વામીશ્રી કહે : ‘આત્મારૂપ હોય એટલે થાક ન લાગે, એ તન જ જુદું હોય. એમાં થાક નહીં, ઊંઘ નહીં, બગાસાં નહીં... કાંઈ નહીં.’ હિતેષભાઈએ પૂછ્યું : ‘કયું સારું ? બ્રહ્મરૂપ થઈને ધામમાં બેસી જઈએ તે ? કે બ્રહ્મરૂપ થઈને આ લોકમાં જ રહીએ ને આપની સેવા કરીએ તે ?’ ‘બેય સારું.’ સ્વામીશ્રીએ કહ્યું. હિતેષભાઈ કહે : ‘ધામમાં તો બેસી જ રહેવાનું ને ? એમાં બોર થઈ જઈએ. એના કરતાં આપની સાથે રહીએ, સેવા કરીએ.’ સ્વામીશ્રી કહે : ‘અક્ષરધામમાં થાક-ઊંઘ કાંઈ ન હોય... આનંદ, આનંદ. આ શરીરમાં થાક-ઊંઘ લાગે, દિવ્યતનુમાં કાંઈ ન લાગે.’ દીપેનભાઈએ પૂછ્યું : ‘અક્ષરધામમાં શ્રીજીમહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ બધા સળંગ બેઠા હશે ને ?’ સ્વામીશ્રી કહે : ‘એ જ્યાં હોય ત્યાં, બધાને દર્શન થાય. ત્યાં છેટું-પાસે છે જ નહીં.’ દીપેનભાઈ કહે : ‘એટલે અમારે પહેલી કે છેલ્લી લાઇન જોવાની નહીં !’ સ્વામીશ્રી કહે : ‘હા... તમે જ્યાં હોય ત્યાં મહારાજનાં દર્શન થાય. ત્યાં દૂર-પાસે છે જ નહીં.’ હિતેષભાઈ કહે : ‘આપ સભામાં બેસો ત્યારે આમ હાથ ફેરવી દેવાનો કે બધાની સ્થિતિ થઈ જાય.’ સ્વામીશ્રી કહે : ‘જે છે એ છે. મહારાજે મનુષ્યતન ધાર્યું ને એમાં જ પરચા ઇચ્છીએ તો અર્થ શું ? હાથી કીડી બન્યા, હવે કીડીને હાથી ? એવું કરીએ એ અજ્ઞાન.’ હિતેષભાઈ કહે : ‘આ લોકમાં કેવું હોય - ઉંમર થાય એમ નિવૃત્તિ લે, શાંતિથી રહે. આપને તો જેમ વધારે ઉંમર થઈ એમ વધારે જવાબદારી આવતી ગઈ.’ સ્વામીશ્રી એકદમ ભાવથી બોલ્યા : ‘ભગવાન જ કરે છે બધું. આપણે કાંઈ કરતા જ નથી.’ પ્રમુખસ્વામી મહારાજ માટે ગવાયેલી કડી સ્વામીશ્રી માટે પણ એટલી જ લાગુ પડે છે : ‘શ્રીહરિ એક જ કર્તા-હર્તા...’
-
દૃષ્ટિ કરો કે બીજે બધે પણ સત્સંગ થાય
તા. 6-12-2017, જયપુર આજે અક્ષરપ્રેમદાસ સ્વામી જયપુરનો નકશો દૃષ્ટિપ્રસાદીનો કરાવવા લાવ્યા હતા; જેમાં કઈ જગ્યાએ કેટલો સત્સંગ છે, ક્યાં ક્યાં મંડળો ચાલે છે, તે માહિતી દર્શાવવામાં આવી હતી. અત્યારે કોઈ ને કોઈ મંડળ ચાલતું હોય તેવા 10 વિસ્તારો છે. અક્ષરપ્રેમદાસ સ્વામીએ વિનંતી કરી કે ‘દૃષ્ટિ કરો કે બીજે બધે પણ સત્સંગ થાય.’ સ્વામીશ્રી નિર્દેશ કરતાં કહે : ‘ગઈકાલે જાહેરાતમાં ત્રણ યુવતી મંડળની જાહેરાત થઈ હતી અને અહીં બે જ છે.’ આશ્ચર્ય ! ‘એક તો ગઈકાલની, અને તેય જાહેરાતમાં અડધી સેકન્ડમાં બોલાઈ ગયેલી વાત... ! સ્વામીશ્રીને યાદ છે ?!’ તપાસ કરતાં ખબર પડી કે ખરેખર યુવતી મંડળ ત્રણ જ છે, તેથી ત્રણની જાહેરાત કરી હતી, પણ ચાલતાં હતાં બે જ, માટે લખ્યાં હતાં બે ! સૌને ખ્યાલ આવ્યો કે સભામાં થતી પ્રત્યેક જાહેરાત સૌથી એકાગ્રતાપૂર્વક સ્વામીશ્રી જ સાંભળે છે.
-
કેટ-કેટલું સંગૃહીત છે !!
તા. 5-12-2017, જયપુર આજે રાત્રિભોજન વખતે સ્વામીશ્રી કહે : ‘આજે (સભામાં) ધર્મપ્રકાશ સ્વામીનું નામ ન આવ્યું.’ વાત જાણે એમ હતી કે આજે સભામાં વિવિધ સંતો હાર પહેરાવવા આગળ પધાર્યા હતા, એમાં ધર્મપ્રકાશદાસ સ્વામીનું નામ બોલવાનું રહી ગયું હતું. સ્વામીશ્રીને આ સહેજે ગમ્યું નહોતું કારણ કે 1983થી શરૂઆતનાં 18 વર્ષ સુધી તેઓએ આ વિસ્તારમાં ખૂબ દાખડાભર્યું વિચરણ કર્યું હતું. સેવક સંતોએ કહ્યું : ‘ભોજન પૂર્ણ થઈ જાય પછી તેમને બોલાવી લઈએ.’ પણ સ્વામીશ્રીએ ઇચ્છા દર્શાવી કે ‘તેમને અત્યારે જ બોલાવો.’ ધર્મપ્રકાશદાસ સ્વામીને બોલાવવામાં આવ્યા. સ્વામીશ્રીએ જમતાં જમતાં જ આજે ગુરુપૂજન વખતે તેઓના જમણા હસ્તે બાંધેલી નાડાછડી ડાબા હાથે છોડી નાંખી અને પછી જમણો હાથ લૂછીને જાતે જ ધર્મપ્રકાશદાસ સ્વામીના કાંડે નાડાછડી બાંધી દીધી. વળી, તેઓને થાળમાંથી પ્રસાદ પણ આપ્યો અને બોલ્યા : ‘શરૂઆતમાં સાથે બહુ ફર્યા.’ આયોજક સંતોએ પણ સ્વામીશ્રીની માફી માગતાં કહ્યું : ‘સ્વામી ! અમારી ભૂલ થઈ ગઈ.’ સ્વામીશ્રી ધર્મપ્રકાશદાસ સ્વામીને કહે : ‘તમને રજા મળતી નહોતી, પછી હૉસ્પિટલમાં તમારા પિતાજીને મળવા ગયા ને રજા મળી ગઈ !’ સંતોએ ધર્મપ્રકાશદાસ સ્વામીને પૂછ્યું : ‘આ ક્યારની વાત છે ?’ તેમણે કહ્યું : ‘1975, મુંબઈ. સાત વર્ષના સંઘર્ષ પછી રજા મળી હતી.’ પણ ખૂબીની વાત એ હતી કે 42 વર્ષ પહેલાંની વાત પણ સ્વામીશ્રીને કેટલી ઇદમ્ યાદ છે ! સ્વામીશ્રીની સ્મૃતિમંજૂષામાં આવું તો કેટ-કેટલું સંગૃહીત છે !!
-
‘हाँ, क्यों नहीं।’
તા. 4-12-2017, જયપુર આજે યુવાદિનની સભામાં યુવાનોએ પોતાને ગૂંચવતા પ્રશ્નો સ્વામીશ્રી સમક્ષ પ્રસ્તુત કર્યા. જેમાંથી કેટલાક પ્રશ્નો અહીં મૂક્યા છે : પ્રશ્ન : ‘हम सब टूटे-फूटे डिब्बे जैसे हैं। कोई काम से टूटा है, तो कोई मान से, तो कोई देहाभिमान से... तो आप हमें अक्षरधाम ले जाएँगे।’ ‘हाँ, क्यों नहीं।’ સ્વામીશ્રીએ કહ્યું. પ્રશ્ન : ‘हमारा मन डिजिटल वर्ल्ड में लग जाता है। जैसे कि फेसबुक, वोट्सअप वगैरह। उसमें टाइम बिगड़ता है और उसे युझ न करें तो हमारे साथीदार हमें बुद्धु मानते हैं, तो हमें क्या करना चाहिए।’ સ્વામીશ્રીએ અદ્ભુત ઉત્તર આપ્યો : ‘प्रमुखस्वामी महाराज के वचन में विश्वास आ जाए, तो सब छूट जाएगा। विश्वास कि ‘यही मेरा भला कर सकते हैं। दूसरा कोई नहीं।’ પ્રશ્ન : ‘हमारा मन अस्थिर है, तो हम क्या करे जिससे वह स्थिर हो और भटके नहीं।’ સ્વામીશ્રીએ ઉત્તર બતાવતાં કહ્યું કે ‘वह सत्संग करते-करते होगा। यह बहुत बड़ी बात है। जन्मों से हमने जो नहीं करना था, वही किया है। ग्रेज्युएट होने में भी २० वर्ष लगते हैं, तो यह धीरज रखके, विश्वास रखके, संत-समागम करने से होगा। संत की बात मानो, तो सब आ जाएगा।’ પ્રશ્ન : ‘आपमें दिव्यभाव रहे और मनुष्यभाव न आए, उसके लिए क्या करना चाहिए।’ સ્વામીશ્રીએ હસીને કહ્યું કે ‘प्रेक्टिस करना पड़ेगा। एक दिन दिव्यभाव आएगा, एक दिन मनुष्यभाव आएगा। ऐसे-ऐसे चलते-चलते ज्ञान होगा; फिर दिव्यभाव हमेशा के लिए रहेगा।’
-
ભાવ સાથે કહ્યું : ‘ગુણગ્રહણ !
તા. 3-12-2017, જયપુર આજે અલ્પાહાર બાદ સેવક સંતને સ્વામીશ્રી કહે : ‘મારો ખોરાક... !’ સેવક સંત સમજી ન શક્યા. સ્વામીશ્રી ફરી બોલ્યા : ‘મારો ખોરાક !’ ફરી ન પકડાતાં સેવક સંતે પૂછ્યું : ‘શું સ્વામી !?’ રોજ અલ્પાહાર પછી સંતોના ગુણોનું કથન થાય છે, તે સંદર્ભમાં સ્વામીશ્રીએ ‘ખબર નથી પડતી ?’ થોડા એવા ભાવ સાથે કહ્યું : ‘ગુણગ્રહણ !’ સામાન્ય રીતે બીજાના ગુણો માણસોનાં હૈયાં બાળે છે પણ સ્વામીશ્રીને મન અન્યના ગુણો પોતાનો ખોરાક છે.